ભગવાન ઈન્સાન અને વિજ્ઞાન

        એક વાત વિસરવા જેવી નથી. આપણો પારંપરિક પોથીધર્મ બ્રાહ્મણોને વસ્ત્રો, અનાજ વગેરેનું દાન કરવા કહે છે. બ્રાહ્મણોને દાન ભલે મળતું પણ એ પ્રકારના દાનથી દાનદાતાને કોઈ ફાયદો થતો નથી. એની તુલનામાં માનવધર્મ મુજબ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન કીડની વગેરેનું દાન કરવાથી માનવજાતની ઉત્તમ સેવા થઈ શકે છે. અનાજથી કોકની એકાદ ટંકની ભૂખ ભાંગી શકે, પણ રક્તદાન, ચક્ષુદાન કે કીડનીદાનથી કોકની જિંદગી બચે છે. માણસે વિજ્ઞાનની ફેકટરી વડે સેંકડો ચીજવસ્તુઓનું ઉત્પાદન કર્યું છે, પણ હજી સુધી એ કોઈ એવી ફેકટરી બનાવી શક્યો નથી જેમાં લોહી કીડની, આંખ, ફેફસા, લિવર વગેરે બની શકે. પહેલી નજરે સાચી ન લાગે એવી વાત એ છે કે માંદગીમાં માણસને જીવાડવા માટે ભગવાન કરતાં ઈન્સાન વધુ ઉપયોગી નીવડે છે.  

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment