ગાંધીના ગુજરાતમાં ગલી ગલીએ ગોડસે

      આ ધરમકરમવાળા દેશમાં દંભ, જૂઠાણું, અપ્રમાણિક્તા, લુચ્ચાઈ અને ઠગાઈનું રોજનું અબજો રૂપિયાનું ટર્ન વર થાય છે. જ્યાં ગાંધી, સુભાષ અને રામ કૃષ્ણ જન્મ્યાં હતાં તે સમાજ ચંબલની ખીણ જેવો બની ચૂક્યો છે. કોઈના ચશ્મા કે ઘડિયાળ આમ તો મામુલી ચીજ ગણાય, પણ ગાંધીની ઘડિયાળ કે તેના ચશ્મા ચોરાઈ શકે છે કેમકે તેને લાખોમાં વેચીને રોકડી કરી શકાય છે. પણ ગાંધીજીના આદર્શોની કિંમત કેટલી? કોણ તે ખરીદે? દેશની અંદરના અને બહારના આતંકવાદીઓને કારણે માહોલ એવો અસલામત બની ચૂક્યો છે કે આજે ગાંધીજી ફરી અહીં જન્મે તો એમણે પણ ગુપ્તી રાખવી પડે. (નહીંતર સ્વામી સચ્ચિદાનંદજીએ શા માટે પિસ્તોલ રાખવી પડી હોત?) દેશને ખૂણે ખૂણે આતંકવાદી છવાયેલા છે. ગલ્લા પર બેઠેલા લાયસન્સધારી આતંકવાદીઓ શાંત લૂંટ (સાયલન્ટ રોબરી) ચલાવે છે. ઓફિસમાં બેઠેલા શૂટેડબુટેડ આતંકાવદીઓ કલમની કાતર વડે ગજવું ચીરે છે અને ખાદીધારી આતંકવાદીઓ બજેટની બંદૂક વડે તિજોરી પર તરાપ મારે છે. આજે ગાંધીના ગુજરાતમાં ગલી ગલીએ ગોડસે જીવે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment