આતંકવાદ: વિશ્વની સળગતી સમસ્યા

            આતંકવાદ વિશ્વની સળગતી સમસ્યા છે. પાકિસ્તાન જેવા કટ્ટરવાદી ઈસ્લામિક દેશો આતંકવાદીઓને મહેમાનની જેમ પોતાના દેશમાં આશ્રય આપે છે. માત્ર ભારતને જ નહીં, આખા વિશ્વને એવી ગુનાઈત પ્રવૃત્તિ સામે વાંધો હોવો જોઈએ. ગામના પાદરે કોઈ રાક્ષસ ઝૂંપડું બાંધીને રહેતો હોય તો તેની ચિંતા ફક્ત ગામના સરપંચે જ નહીં આખા ગામે કરવાની હોય. આપણે ગીતા, બાયબલ અને કુરાનમાં રચ્યા પચ્યા રહીએ છીએ, પણ દેશની સળગતી સમસ્યા પર ચિંતા કે ચિંતન કરતાં નથી. દાઉદ ઈબ્રાહિમ નમાઝ પઢ્યા પછી બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે. એવી બંદગીનું મૂલ્ય કોડીનું ય ન હોઈ શકે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

Leave a comment